Parichay Talks (લેખકની કલમે) Dt :- 22-09-23 - આત્મહત્યા એ ઉપાય નથી...... કવયિત્રી , લેખક :- ભાવના ભટ્ટ - અમદાવાદ

 Parichay Talks (લેખકની કલમે) Dt :- 22-09-23 - આત્મહત્યા એ ઉપાય નથી......   કવયિત્રી , લેખક :-  ભાવના ભટ્ટ - અમદાવાદ
#parichaytalks @parichaytalks #amrutdhara @amrutdhara #parichay @parichay #purusharthnoparichay @purusharthnoparichay



          અડગ મનના માનવીને કોઈ ડગાવી શકે નહીં ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ રસ્તો શોધી જ લે. ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફુજીયામા... આલ્પ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડીઝન પર્વતમાળા જુગ જુગ વિતી જવા છતાંય આજે પણ અડગ, અડીખમ ઊભા છે ! એ જ સર્વ વિજયી અદા અને ઝિંદાદિલીના જુવાળ સાથે!  તોફાનો આવે ને જાય, આંધી તુફાન આવે ને વિદાય લે ... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય પણ પહાડ નિશ્ચલ ઊભા રહે છે ... અડગ ઊભા રહે છે. માનવ નાની નાની મુસીબતોમાં નાસીપાસ થઈ જાય છે...  અને પછી આત્મહત્યા કરે છે પણ દોસ્તો હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખી જુવો તો દુનિયાની કોઈ તાકાત તમને નમાવી નહીં શકે....
            વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે... એમ જીવનમાં આવનાર તોફાન જ આપણાને નવો રસ્તો બતાવે છે. તમારી કસોટી થાય કે તમારી પરિક્ષા તો હારી ના જશો અડગ રહેજો કારણ કે પરીક્ષા એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય ! અભણની પરીક્ષા નથી હોતી તેઓ 'પાસ' નથી થતા એ તો માસ પ્રમોશનની જમાતમાં ભળી જાય છે... માટે જ પરીક્ષાથી આંખ મીંચામણાં ના કરશો. જેનામાં સહનશક્તિ છે ધીરજ છે એ કોઈ પણ મુસીબતોમાં અડગ રહી પાર ઉતરે છે.... મોતી તો ગહેરાઈમાં હોય.... 
           સપાટી પર તો છીપલાં મળે મોતી નહીં..
આ કાળાં માથાનો માનવી ધારે તે કરી શકે ! પણ ચંદ્રમાં પર પગલાં મુકવાની મસ મોટી ડંફાસો મારનાર માનવીને પરિવાર સાથે જીવતા નથી આવડતું... આ કેવી કરૂણતા છે? જેનાં હજુ સુધી કોઈ શિબિર ચાલુ નથી થયા..
           આત્મહત્યા તો કાયરતા છે જિંદગીમાં દરેક વસ્તુનાં રસ્તા હોય છે એ માટે આપણાં જ કુટુંબમાં કે સગાંવહાલાં માં કોઈ એવી વ્યક્તિ ને શોધો અને નિખાલસ મને તમારી મુસિબત ની ચર્ચા કરો જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જાય... માટે આત્મહત્યા કરવાનો વિચાર આવે કે કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો મનને અડગ બનાવો પણ ભીરુતા ભર્યું પગલું નાં ભરો જેથી તમારાં માતા-પિતા ને કે પરિવાર ને નીચું માથું ઘાલી ફરવાનો વારો આવે... કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં મનને શાંત રાખવું અને વિચારવું... કે હું આ પગલું ભરુ છું એ યોગ્ય છે?
            આત્માહત્યા કર્યા સિવાય શું કોઈ જ રસ્તો નથી? આમ બન્ને પાસાં નો વિચાર કરવો... આ જિંદગી એ ઈશ્વર ની દેન છે તો  કોઇ પણ રીતે જલસો કરીએ.
સારા કર્મો કરીને મરીએ કે નરશા,
આત્મા સિવાય કોણ જાણે છે. 
સ્વર્ગ નર્કની ચિંતા છોડો,
મહાલવુ જ છે તો રસ્તો કરીએ.
આત્મા ના સવાલો ને દબાવીને, 
બહારથી તો શરીફ બની ફરીએ. 
ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,
આત્માને મારી ને જીવ્યો આ દુનિયામાં. 
ભાવનાઓમાં ગફલત થઈ ને લપસ્યો એ તો, આત્મબળ થી આવો પડતાં ને બેઠાં કરીએ. આત્મા ને પથ્થર કરીને વહોરી છે પીડા, આત્માના સવાલો ના જવાબ મેળવી ચાલો ભુક્કો કરીએ ખોટાં વિચારોનાં.
            આત્મા હત્યા નો વિચાર જ ખોટો આવ્યો‌ છે એને મગજ અને મનમાં થી ખંખેરી નાંખીએ. સાંભળી આત્માનો અવાજ જવાબ વહેતો કરીએ અને ગમે તેવી મુસિબતોમાં પણ અડગ બનીને જીવીએ તો જ માણસ કહેવાઈ એ.. આમ નાની નાની વાતોમાં ભાંગી પડી ને આત્માહત્યા કરી લેવી એ અડગ મનના અને મજબૂત મનોબળ વાળા માણસો ને નાં શોભે.... માટે જ કહેવામાં આવ્યું છે કે... "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.. "..
તો તમે વિચારો કે તમે કેવાં માનવી છો?
તમે કોઈ ને સુખી નાં કરી શકો તો કોઈ ને દુઃખી કરવાનો અધિકાર પણ તમને નથી...
માટે ઝઝૂમો જિંદગી સામે અને જીવો ખુબ મજેથી...
પણ આત્મહત્યાનાં પગલાં નાં ભરશો... આ માનવ અવતાર એક જ વાર મળે છે માટે જિંદગી જરૂર જીવો એક દિવસ સફળતા તમારા ચરણોમાં હશે...

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-09-23 બોટાડની ઈતરીયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-09-23 બોટાડની ઈતરીયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

         શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી ખુબ ધામધૂમથી કરવામાં આવી. શાળાની સંગીત વૃંદ દ્વારા રક્ષાબંધન ગીતો સાથે શાળાની બહેનો દ્વારા દરેક ભાઈને રાખડી બાંધવા માં આવી. સાથે શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વ વિશે મહત્વ સમજાવ્યું.વિશેષ શાળાની બહેનોએ જાતે રાખડીઓ બનાવી હતી.ત્યારબાદ શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાંપડિયા દ્વારા રક્ષાબંધન પર્વનું ધાર્મિક મહત્વ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર વક્તવ્ય આપવા માં આવ્યું. શાળા પરિવારના તમામ સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ ઉમેશ્રી ડીઝાઇનીંગ સ્ટુડિયો આણંદની મુલાકાત લીધી

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ ઉમેશ્રી ડીઝાઇનીંગ સ્ટુડિયો આણંદની મુલાકાત લીધી

          મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે  ફેશન ડીઝાઇનીંગ વિભાગની વિધાર્થીનીઓ એ આણંદ ખાતે આવેલ ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. 
           નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે. તેમજ ફિલ્મી સ્ટુડિયો, ફેશન ડીઝાઈનીંગ સ્ટુડિયો વગેરેની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગ રૂપે ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયો, આણંદની મુલાકાત લેવામાં આવી હતી. 
          આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ, દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે તે અંગે ની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લે છે અને ફિલ્મી સ્ટુડિયો, ફેશન ડીઝાઈનીંગ સ્ટુડિયો ની મુલાકાત લે છે. 
         આજના સમય માં ટેકનોલોજી, પર્સનાલીટીનું મહત્વ છે આજનો વિધાર્થી પર્સનાલીટીની સાથે ફેશનને પણ એટલું જ મહત્વ આપે છે, આથી ભારતના વિવિધ સ્થળો ઉપર ફેશન ડિઝાઈનીંગના સ્ટુડિયાની શરૂઆત થઇ છે, આ સ્ટુડીયા માં ભારતના ખ્યાતનામ ફેશન ડીઝાઈનરો આજના સમયની માંગ મુજબ વ્યક્તિએ કઈ રીતે પોતાની પર્સનાલીટી કેળવવી જોઈએ તેનું માર્ગદર્શન આ સ્ટુડીયોમાં આપતા હોય છે.    
         તેના ભાગ રૂપે ઉમેશ્રી ડીઝાઈનીંગ સ્ટુડિયો, આણંદની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ ડીઝાઈનીંગ વિષે માહિતી મેળવી હતી. તેમજ NIFDના ફેકલ્ટી અને ફેશન ડીઝાઇનર રાહુલ જોષી દ્વારા ફેશન ડીઝાઇનના માર્કેટ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 18-09-23 ભાવનગરની લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું


Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 18-09-23 ભાવનગરની લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું
 

(મૂકેશ પંડિત) ઈશ્વરિયા

        ભાવનગરની લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે.
        કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું દર વર્ષે આયોજન થાય છે, જેના સત્તરમાં મણકામાં વિશિષ્ટ આયોજન થયેલ છે.
        આગામી સોમવાર તા.૧૧ના સવારે વ્યાખ્યાનમાં મૂ.મો.ભટ્ટના સાહિત્યનું વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને આચમન થશે. લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરા ખાતે સારસ્વત ભવનમાં આ વ્યાખ્યાન યોજાશે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 17-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે જી.એસ.ટી. વિષે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 17-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે  જી.એસ.ટી. વિષે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું

         મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.કોમ.  વિભાગ દ્વારા સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે જી.એસ.ટી. વિશે માર્ગદર્શન આપતું વ્યાખ્યાન યોજાયું હતું. 
         નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વર્ષ દરમિયાન વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે તજજ્ઞો અને વિષય નિષ્ણાત અધ્યાપકોનું માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી તેમનું વ્યાખ્યાન યોજવામાં આવે છે. અને વિધાર્થીનીઓને અભ્યાસ કાર્ય પૂર્ણ થયા બાદ તે તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવા હેતુથી મહાનુભાવો સાથે સાક્ષાત્કાર કરવામાં આવે છે. 
          ભારત સરકાર દ્વારા જી. એસ. ટી. અંગેનો કાયદો પસાર કર્યાબાદ જી. એસ. ટી.નું કાયદાકીય જ્ઞાન વિધાર્થીની ઓને હોતું નથી. ભવિષ્ય માં વિધાર્થીની જયારે પોતે કોઈ વ્યવસાય કે અન્ય ક્ષેત્ર માં જોડાઈ ત્યારે જી. એસ. ટી.ના કાયદા વિષે સમજ ખુબ જરૂરી બની છે. 
           નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરના બી.કોમ. વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે ભાવનગરના જાણીતા એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ હિતેશ રાજ્યગુરુ દ્વારા જી. એસ. ટી.ના કાયદા વિષે વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-09-23 બોટાદના ગઢડાની જનડા શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટર કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 16-09-23 બોટાદના ગઢડાની જનડા શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટર કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો


         બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટરનું સંયુક્ત રીતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન CRC હરેશભાઈ અબિયાણી નીચે જનડા શાળાના આચાર્ય મનુભાઈ અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉગામેડી ક્લસ્ટર  તથા ટાટમ ક્લસ્ટરની કુલ 16 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ 32 ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતીઓ કુલ "પાંચ વિભાગમાં" વહેંચવામાં આવી હતી. દરેક બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની કૃતિની રજૂઆત ખૂબ જ ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવી હતી. 
        આ બધી જ કૃતિને જોવાનો લાહવો જનડા પ્રાથમિક શાળાના બાળકોએ, જનડા સરકારી માધ્યમિક શાળાના બાળકોએ, ઇંગોરાળા પ્રાથમિક શાળાના બાળકોએ અને ગ્રામજનોએ  લીધો હતો. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના અંતે દરેક કૃતિ રજૂ કરનાર બાળવૈજ્ઞાનિકોને CRC હરેશભાઈ અબિયાણી દ્વારા ઈનામ સ્વરૂપે દરેક બાળવૈજ્ઞાનીકને એક પેડ, પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલ માર્ગદર્શક ગુરુજીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા  જનડા પ્રાથમિક શાળા દ્વારા તમામ શાળામાંથી આવનારા બાળ વૈજ્ઞાનિકો તથા સાથે આવેલા માર્ગદર્શક ગુરુઓ અને અન્ય શાળામાંથી આવેલા ગુરૂજીઓ માટે જમવાની વ્યવસ્થા  CRC હરેશભાઈ અને જનડા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. CRC હરેશભાઈ અબીયાણી જનડા શાળાનું આયોજન  જોઈ  ખૂબ જ ખુશ થયા હતા અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-09-23 ભાવનગરના પાલીતાણા મુકામે જિલ્લા ચેસ સ્પર્ધામાં મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ભાગ લીધેલ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 16-09-23  ભાવનગરના પાલીતાણા મુકામે જિલ્લા ચેસ સ્પર્ધામાં મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ભાગ લીધેલ


     ભાવનગરના પાલીતાણા મુકામે યોજાયેલ 67મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં ચ.મો.વિદ્યાલય ખાતે જિલ્લા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં  બાળકોને ચેસ માટેની સરસ સ્પર્ધા અને ચેસની સરસ મજાની માહિતી આપવામાં આવેલ.
         ત્યારબાદ બાળકોએ પાલીતાણામાં 108 ફૂટ લાંબી આદિનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરેલ અને શેત્રુંજી ડેમ પર સ્થળ મુલાકાત કરી ડેમની સરસ માહિતી મેળવેલ.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 15-09-23 બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 15-09-23  બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ


        બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શાળામાં બહેનોએ ભાઈને સૌપ્રથમ તિલક ચાંદલો કરી, આરતી ઉતારી અને મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી. અને બહેનોએ ભાઈ પાસેથી રક્ષણના આશીર્વાદ લીધા હતા. તેમજ શાળામાં ધોરણ- 8 ની બહેનો દ્વારા રક્ષાબંધન તહેવાર અનુરૂપ એક સુંદર અભિનય ગીત શાળાના બાળકો સામે પ્રદર્શિત કર્યું હતું. જેમાં શાળાના સૌ કોઈ બાળકોને ખૂબ જ મજા આવી હતી. આ ઉપરાંત શાળામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. તેમજ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા અંતર્ગત "રક્ષાબંધન" વિષય પર નિબંધ લખ્યો હતો. આમ જનડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 15-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ચેમ્પિયન સતત ૧૨મી વખત ચેમ્પિયન

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 15-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ચેમ્પિયન સતત ૧૨મી વખત ચેમ્પિયન

 
        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી કુ. મિશ્રા શાલુ વી., કુ. જેઠવા ભૂમિકા એચ., કુ. સોલંકી મીરા વી., કુ. પરમાર રિદ્ધિ જી., કુ. ચૌહાણ કિરણ એમ., કુ. પરમાર સુરભી વી., સોલંકી જાનવી આર, દિહોરા મીતલ એસ., દિહોરા પુષ્પા વી., હડિયા દીવ્યાંકી જી., મકવાણા ઋષિતા જે. અને ગોહિલ આરતી આર.એ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  જેના ભાગ રૂપે આંતર કોલેજ બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજની ટીમો એ ભાગ લીધો હતો, જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની બાસ્કેટબોલની ટીમે તેમની હરીફ ટીમોને પરાજિત કરી યુનિ.ની સતત ૧૨મી વખત ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.
          આંતર કોલેજ બાસ્કેટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ સમગ્ર બાસ્કેટબોલ ટીમને કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 14-09-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ બારૈયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 14-09-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ બારૈયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

         સમગ્ર દેશમાં ૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની  ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી નાનાજી દેશમુખ ઓડિટોરીયમ બોટાદ ખાતે કરવામાં આવેલ. જેમાં જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, માન. જિલ્લા વિકાસ અધિકારી, માન.અધિક કલેક્ટર,  પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી , પદાધિકારી ઓ અને અનેક સારસ્વત મહાનુભવોની હાજરીમાં જુનવદરના રહીશ અને ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ મનજીભાઈ બારૈયાને ગરિમાપૂર્ણ રીતે 15000રૂપિયા ધનરાશી અને શાલ સાથે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તથા ઉમદા કાર્ય બદલ શાળાને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. અશ્વિનભાઈ બારૈયાને આ પૂર્વે પણ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 
          શિક્ષક દિને  શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા શાળા પરિવાર અને ગામલોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને સૌએ અભિનંદન પાઠવ્યાં હતા.

Parichay Talks (સન્માન) Dt :- 13-09-23 બોટાદના ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જનડા પ્રાથમિક શાળાના શિક્ષક ગાબુ મનુભાઈને અપાયો એવોર્ડ

Parichay Talks (સન્માન)  Dt :- 13-09-23  બોટાદના ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જનડા પ્રાથમિક શાળાના શિક્ષક ગાબુ મનુભાઈને અપાયો એવોર્ડ


           શિક્ષક દિવસની ઉજવણી નિમિતે બોટાદ જિલ્લામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે "કર્મ એ જ ધર્મ"નો જેમનો સિદ્ધાંત છે એવા જનડા પ્રાથમિક શાળાના શિક્ષક મનુભાઈ ગાબુને "ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક" તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વર્તમાન સમયના  આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમને આચાર્ય સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યોની વાત કરવી તો સામાજિક ક્ષેત્રે અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો, વ્યસન મુક્તિના કાર્યક્રમો ચલાવે છે.  
        આ અભિયાન દ્વારા અનેક લોકોને અંધશ્રદ્ધાથી દૂર કર્યા છે. તો અત્યાર સુધીમાં 182 લોકોને વ્યસન મુક્ત કર્યા છે. સંશોધન ક્ષેત્રે તેઓશ્રીએ "let's learner to read and write basic English part 1" બુક આપીને વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા કર્યા છે. આ ઉપરાંત તેઓ "ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ" કાર્યક્રમ રવિવારના દિવસે શાળામાં ચલાવે છે.  રવિવારના શિક્ષણકાર્ય થકી 246  વિદ્યાર્થીઓને તેઓએ અંગ્રેજી વાંચતા કર્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી અને સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિ તેઓએ બાળકોને અપાવી છે. 
        શાળા આજે હરિયાળી છે તેમાં "વૃક્ષા રોપણ"થી લઈને તેના ઉછેરમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. 300 થી વધારે વૃક્ષોથી આજે શાળા શોભી રહી છે. જેમની બાળકોને ભણાવવાની પદ્ધતિ જ કંઈક અલગ ધરાવે છે, જેવો સંસ્કાર સાથે શિક્ષણને અગ્રતા આપે છે, જેમનો "હું નહિ અમારો" એવો સિદ્ધાંત ધરાવે છે, જેમના કેન્દ્રમાં બાળક રચ્યો- પચ્ચીઓ રહે છે. તેઓ જનડા ગામ અને શાળાનું ગૌરવ છે. જેવો ઉગામેડી ક્લસ્ટરનું ગૌરવ છે. એવા ગાબુ મનુભાઈ આજે "ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક" તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે, ત્યારે સર્વ ગર્વની લાગણી અનુભવે છે. આ પ્રસંગે ગાબુ મનુભાઈઆ એવોર્ડ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ગુરુજીને અને પોતાના પરિવારને સમર્પિત કરે છે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની આંતર કોલેજ ટેબલ-ટેનીસ સ્પર્ધામાં ચેમ્પિયન

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 13-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિધાર્થીની આંતર કોલેજ ટેબલ-ટેનીસ સ્પર્ધામાં ચેમ્પિયન

        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી કુ. પરમાર પ્રાર્થના અશ્વિનભાઈ, કુ. ભુવા કવુબેન જબારભાઈ, કુ. ચુડાસમા અલ્પાબેન બાઘાભાઈ, કુ. ચૌહાણ એકતા નાથુભાઈ અને કુ. ચૌહાણ જાનવી શૈલેશભાઈ એ ટેબલ-ટેનીસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 
         એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ટેબલ-ટેનીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ કોલેજની ૨૪ બહેનો ભાગ લીધો હતો.જેમાં નંદકુવરબા મહિલા કોલેજ માં અભ્યાસ કરતી કુ. પરમાર પ્રાર્થના અશ્વિનભાઈ સમગ્ર યુનિવર્સીટી માં પ્રથમ નંબર મેળવી ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. 
          આંતર કોલેજ ટેબલ-ટેનીસ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે ભાગ લેનાર તમામ ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 12-09-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 12-09-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

         ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં રક્ષાબંધનના આગલા દિવસે રાખડી બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી અને સુંદર રાખડી બનાવનારને  ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ધોરણ 1 થી 8 ના તમામ બહેનોએ શાળાના તમામ ભાઈઓને કુમકુમ તિલક કરી, રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું અને ભાઈઓએ રાખડી બાંધનાર બહેનોને ભેટ આપી હતી. આ ઉપરાંત બાળકોએ રક્ષાબંધન વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા, તથા રક્ષાબંધનના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધનનું પૌરાણિક મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. તમામ શિક્ષકોએ બાળકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 11-09-23 શિક્ષક કભી સાધારણ નહિ હોતા..... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 11-09-23 શિક્ષક કભી સાધારણ નહિ હોતા..... લેખક :- શૈમી ઓઝા.  " લફઝ " - મહેસાણા.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 11-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે “શિક્ષક દિન”ની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 11-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે “શિક્ષક દિન”ની ઉજવણી કરાઈ


         મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે તા. પ સપ્ટે. શિક્ષક દિવસની ઉજવણીના અનુસંધાને તા. ૦૪-૦૯-૨૦૨૩ને સોમવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. શિક્ષકને આપણી સંસ્કૃતિમાં અને ગ્રામીણ સંસ્કૃતિમાં માસ્તર શબ્દની લોકવાયરા છે માસ્તર એટલે માં જેટલું સ્તર. એટલા માટે જ શિક્ષકને ગ્રામીણ ભાષામાં માસ્તર કહેવામાં આવે છે. એટલે કે શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં મા જેટલો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકને ગુરૂ તરીકે પણ માનવામાં આવે છે. 
          આપણા જીવન, સમાજ અને દેશ માં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા માટે આપણે દર વર્ષે ૫ સપ્ટેમ્બર ના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આ શિક્ષક દિવસ મનાવવા પાછળનું એક કારણ છે ૫ સપ્ટેમ્બરના દિવસે ભારત દેશના એક મહાન વિભૂતિ ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન નો જન્મ દિવસ હતો.  
ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા.  ત્યારે લોકોએ તેમને તેમનો જન્મ દિવસ ઉજવવાનું કહેવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે ૫ સપ્ટેમ્બરના રોજ મારો જન્મ દિવસ ઉજવવાને બદલે ભણતરને મારૂ સમર્પણ સમજીને આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવો જોઈએ.ત્યાર પછી ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
        નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતેના બી.કોમ., બી.એ., બી.બી.એ., બી.સી.એ., ફેશન ડિઝાઈન, એમ.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એ., ડી.એન.વાય.એસ. અને વિવિધ ડીપ્લોમાં કોર્ષની વિધાર્થીનીઓએ આજના દિવસે કોલેજની પ્રાધ્યાપક, શિક્ષકો,  પ્રિન્સીપાલ, વહીવટી કાર્ય જેવી વિવિધ જવાબદારી નિભાવી હતી અને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 10-09-23 ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ૨(બે) વિધાર્થીનીઓએની જીત

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 10-09-23 ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ૨(બે) વિધાર્થીનીઓએની જીત
  

           આંતર કોલેજ ૧૦ કી.મી. દોડ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની વિધાર્થીનીઓએ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો  
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની ક્રોસ કન્ટ્રીની ટીમમાં કુ.મકવાણા રંજન કે., કુ. ચૌહાણ વિલાસ બી., કુ. ડાભી રિદ્ધિ પી., કુ., ડાભી જ્યોતિ વી., કુ. કટેશીયા પાયલ આર. અને કુ. બારૈયા જીજ્ઞા જી.એ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. 
         એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તળાજા ખાતે આંતરકોલેજ ક્રોસ કન્ટ્રી ૧૦ કી.મી. દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુનીવર્સીટીની અલગ અલગ કોલેજની ૫૯ બહેનોએ ભાગ લીધો હતો જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી કુ. મકવાણા રંજન એ ૪૪.૩૧ મીનીટમાં ૧૦ કી.મી.ની દોડ પૂર્ણ કરી સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો જયારે કુ. વિલાસ ચૌહાણે ૧૦ કી.મી. ક્રોસ કન્ટ્રી ની દોડ ૪૫.૩૦ મીનીટમાં પૂર્ણ કરી સમગ્ર યુનિવર્સીટીમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત આંતર યુનિવર્સીટીની ટીમ માં મકવાણા રંજન, ચૌહાણ વિલાસ અને ડાભી રિદ્ધિ એ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 
           આંતર કોલેજ ૧૦ કી.મી. ક્રોસ કન્ટ્રી દોડની સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરવા બદલ સમગ્ર ક્રોસ કન્ટ્રીની ટીમને કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 શિક્ષક એ છે જે સતત શીખતો રહે..... લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, - ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 
શિક્ષક એ છે જે સતત શીખતો રહે.....    લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, -   ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 શિક્ષક એજ સાચા ઘડવૈયા...... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 
શિક્ષક એજ સાચા ઘડવૈયા...... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર  

Parichay Talks (Freend Book) Dt :- 6-09-23 નિશાળ.......કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર

Parichay Talks (Freend Book) Dt :- 6-09-23 
નિશાળ.......કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 શિક્ષક દિવસે હિન્દુસ્તાનને....... કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ

Parichay Talks (લેખકની કલમે) Dt :- 6-09-23 શિક્ષક દિવસે હિન્દુસ્તાનને....... કોલમ :-  " થોડાંમાં ઘણું "  લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ 

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 03-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી., મોરબીની મુલાકાતે લીધી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 03-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી., મોરબીની મુલાકાતે લીધી.


        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે  બી.કોમ. સેમ-૩ વિભાગની વિધાર્થીનીઓ એ મોરબી ખાતે આવેલ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી.ની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. 
        નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે.  તેના ભાગ રૂપે લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી., મોરબીની મુલાકાત લેવામાં આવી હતી. 
        આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ, દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે, અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે, તે અંગેની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.ની તમામ પ્રોડકટ વિશે અને લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.ની શરૂઆત કેવી રીતે કરવામાં આવી તેમજ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.નું સંચાલન કઈ રીતે થાય છે, તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ આ કંપની તમામ પ્રોડક્ટ કઈ રીતે બનાવે છે,તેણી પ્રક્રિયા નિહાળી હતી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 02-09-23. ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે કંપનીના રીસર્ચ વર્ક અંગેનો સેમીનાર યોજાયો.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 02-09-23. ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે કંપનીના રીસર્ચ વર્ક અંગેનો સેમીનાર યોજાયો.
 

           મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના એમ.કોમ. વિભાગના ક્રિએટીવ ક્લબ દ્વારા અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ, પ્રોફિટ, કંપની ના વર્કર અને કંપની ના સંચાલન અંગે વિવિધ ડેટા એકત્રિત કરવા અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. 
          ભારતની અંદર વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓનું સંચાલન થઇ રહ્યું છે.  આ વિવિધ કંપનીઓ વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને સેલિંગ કરી રહી છે.  ત્યારે આ કંપનીની વિવિધ બાબતોનું રીસર્ચ કરીને વિધાર્થીનીઓ માટે પોતાની કારકિર્દીમાં મહત્વ રહેલું છે. 
           નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના એમ.કોમ. વિભાગના ક્રિએટીવ ક્લબ દ્વારા ૧૧ ટીમના કુલ ૪૩ વિધાર્થીનીઓએ આ વિવિધ મલ્ટીનેશનલ કંપની સિલેક્ટ કરી તેના હીસ્ટોરીકલ ડેટા, સેલ્સ, પ્રોફિટ, બેલન્સ શિટ એનાલીસીસ, પ્રોડક્ટ્સ એનાલીસીસી, માર્કેટ અનાલીસીસ વગેરે પર રીસર્ચ અંગેની પી.પી.ટી. ફાઈલ બનાવી હતી. ત્યારબાદ આ રીસર્ચ વર્ક અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કંપનીના રીસર્ચ પી.પી.ટી. ફાઈલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેસ્ટ રીસર્ચ તૈયાર કરનાર ત્રણ ટીમના વિધાર્થીનીઓને  મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...