Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 18-09-23 ભાવનગરની લોકભારતી સણોસરામાં વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું આયોજન થયું
(મૂકેશ પંડિત) ઈશ્વરિયા
ભાવનગરની લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા વાચન સાથે મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વિશિષ્ટ આયોજન થયેલ છે.
કેળવણીકાર, લેખક, અનુવાદક, સંગીતજ્ઞ, ગાંધીવિચાર મર્મજ્ઞ અને વત્સલ ગૃહપતિ રહેલા મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું દર વર્ષે આયોજન થાય છે, જેના સત્તરમાં મણકામાં વિશિષ્ટ આયોજન થયેલ છે.
આગામી સોમવાર તા.૧૧ના સવારે વ્યાખ્યાનમાં મૂ.મો.ભટ્ટના સાહિત્યનું વિદ્યાર્થીઓ દ્વારા વાચન અને આચમન થશે. લોકભારતી ગ્રામવિધાપીઠ સણોસરા ખાતે સારસ્વત ભવનમાં આ વ્યાખ્યાન યોજાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો