Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 17-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે જી.એસ.ટી. વિષે માર્ગદર્શન વ્યાખ્યાન યોજાયું
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.કોમ. વિભાગ દ્વારા સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે જી.એસ.ટી. વિશે માર્ગદર્શન આપતું વ્યાખ્યાન યોજાયું હતું.
નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા વર્ષ દરમિયાન વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે તજજ્ઞો અને વિષય નિષ્ણાત અધ્યાપકોનું માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી તેમનું વ્યાખ્યાન યોજવામાં આવે છે. અને વિધાર્થીનીઓને અભ્યાસ કાર્ય પૂર્ણ થયા બાદ તે તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તેવા હેતુથી મહાનુભાવો સાથે સાક્ષાત્કાર કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા જી. એસ. ટી. અંગેનો કાયદો પસાર કર્યાબાદ જી. એસ. ટી.નું કાયદાકીય જ્ઞાન વિધાર્થીની ઓને હોતું નથી. ભવિષ્ય માં વિધાર્થીની જયારે પોતે કોઈ વ્યવસાય કે અન્ય ક્ષેત્ર માં જોડાઈ ત્યારે જી. એસ. ટી.ના કાયદા વિષે સમજ ખુબ જરૂરી બની છે.
નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગરના બી.કોમ. વિભાગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે ભાવનગરના જાણીતા એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ હિતેશ રાજ્યગુરુ દ્વારા જી. એસ. ટી.ના કાયદા વિષે વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો