Parichay Talks (ન્યૂઝ ઓફ ધ વિક) Dt :- 07-12-23 ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
 

             ઓબીસી એકતા પરિષદ રાજકોટ દ્વારા ઓબીસી, એસી, એસટી અને લઘુમતી સમુદાયનાં કાર્યકર્તાઓના સ્નેહમિલન નો કાર્યક્રમ તારીખ બીજી ડિસેમ્બર શનિવારના રોજ સાંજે પાંચ કલાકે ગાર્ડન રેસ્ટોરન્ટ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો. ઓબીસી એકતા મંચ પરિષદનાં સંસ્થાપક શ્રી વેરશીભાઈ ગઢવી, માલધારી સમાજના અગ્રણી શ્રી કરણાભાઈ માલધારી , ઓબીસી એકતા મંચ પરિષદ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ બોડીયા, રાજકોટના ઓબીસી એકતા પરિષદ પ્રમુખશ્રી રવિભાઈ ચૌહાણ, મૂળ નિવાસી સમાજ અગ્રણી ઉત્તમભાઈ રાઠોડ, આરીફભાઇ ધોણીયા, મહિલા અગ્રણી ડૉ. વનિતાબેન રાઠોડ, ઓબીસી અગ્રણી યુનુસભાઇ સપા, નિવૃત સેશન જજ શ્રી કનુભાઈ રાઠોડ, અરવિંદભાઈ સરવૈયા ઓબીસી એકતા પરિષદ, ભરતભાઈ સુથાર , આહિર મહિલા અગ્રણી શ્રી નિરૂબેન આહીર વગેરે હાજર રહ્યા હતા. ઓબીસી એકતા પરિષદનાં આ સ્નેહમિલનમાં મુખ્ય વક્તા તરીકે  પ્રો. ડૉ. જે.ડી.ચંદ્રપાલ સાહેબે ઓબીસી એકતા પરિષદને મજબૂત બનાવવા તથા જાતિજન ગણનાની આવશ્યકતા વિશે ઉદબોધન કર્યું. આ ઉપરાંત આ સ્નેહમિલન નહીં પરંતુ ઓબીસી સમાજ જાગૃત બને તથા ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી સમુદાયને સમાજમાં મળતાં લાભો તથા ભારતીય સંવિધાનનું અમલીકરણ થાય તે માટે વિચાર વિમર્શની જરૂરિયાત અંગે સૌને જણાવ્યું. મહિલા આરક્ષણમાં પણ ઓબીસીની મહિલાઓનું જાતિ જન ગણના મુજબ આરક્ષણ મળે તેની અગત્યતા અને અનિવાર્યતા સૂચવી. ઓબીસી એકતા પરિષદ રાજકોટમાં તમામ ઓબીસી સમાજ, એસસી, એસટી અને લઘુમતી સમુદાયના લોકો જોડાઈ અને એક જૂથ બની ઓબીસી સમાજને મળતા લાભની રક્ષા થાય તે અનિવાર્ય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...