Parichay Talks (Freend Book) Dt :-9-12-23 25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ. કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ

25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ

      મહિલાઓ પર થતી હિંસા સામે તેમને માનવ અધિકારનું હનન રોકવા આ દિવસની ઉજવણી થાય છે. ભારતીય મહિલાઓને પણ 1947 ની આઝાદી મળ્યા બાદ પણ પોતાના હકો માટે લડવું પડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનાં એક સર્વે મુજબ દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા અને છોકરીઓ પોતાના જીવનકાળ દરમિયાન શારીરિક અથવા જાતિય હિંસાનો ભોગ બને છે. મહિલાઓ સામે થતી હિંસાને ઉજાગર કરવા માટે આ દિવાસ ઉજવવામાં આવે છે. ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી શા માટે આત્મહત્યા કરે છે? એમની પાછળનું કારણ પણ કંઈક ઘરેલુ હિંસા રહેલી છે. મહિલાઓની આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા કે અન્ય અણબનાવ પણ બનાવવાનું કારણ હોઈ શકે. દર વર્ષે આ દિવસે મહિલાઓ પ્રત્યેની તેમની વિચારસરણી બદલવા માટે અને મહિલાઓને તેમની અધિકારની માહિતી આપવા માટે અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ દિવાસ વિશ્વભરમાં ઉજવાય છે. મહિલાઓને શિક્ષિત કરીએ, મહિલાઓને સન્માનિત કરીએ અને મહિલાઓનું સન્માન જાળવીએ. મહિલાઓનાં સ્વમાનનું આદર થાય ત્યારે જ ખરા અર્થમાં મહિલા સશક્ત બનશે.
   આજે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે ત્યારે એટલું જ કહેવાનું કે કોઈ સંસ્થા એ વ્યક્તિની મદદની રાહ જોવા કરતા મહિલાએ પોતે જ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આજે શિક્ષિત મહિલાઓ પણ અન્યાય સહન કરતી જોવા મળે છે ઘરેલું હિંસાનો સામનો કરતી જોવા મળે છે.આ ઉકેલ ત્યારે જ આવશે જ્યારે મહિલા ખુદ જાગૃત થશે. આના માટે મહિલા પોલીસ કાયદાની અને પોતાના સ્નેહીજનોની મદદ જરૂર લઈ શકે. ઘણીવાર મહિલાઓ સમાજ અને આબરૂના ડરના કારણે અવાજ ઉઠાવતી નથી પરંતુ સહન કરવું એ જ ઉકેલ નથી જો તે એક ડગલુ આગળ વધશે તો મદદ માટે અનેક હાથ સામે આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...