Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ 


 નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે,
વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે.

વખાણેલી ખિચડી દાઢે વળગી ગઈ છે,
જાહેરખબરમાં ચમકવું એ શાન ગણે છે

 હવાનો ફુગ્ગો ટક્કર ઝીલી શકયો નહીં,
 ટીમના પ્રદર્શનમાં કંઈ દમ હતુંજ નહીં.

 દશેરાના દિવસે ઘોડો દોડયો જ નહીં,
 જીત માટે મરણિયો પ્રયાસ થયો નહીં.

ભાવના ભારતીય જનતા નિરાશ બની,
 આશા સૌની આજે તો નિરાશા બની.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*

Parichay Talks (Freend Book) Dt :-9-12-23 25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ. કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ

25 નવેમ્બર આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ

      મહિલાઓ પર થતી હિંસા સામે તેમને માનવ અધિકારનું હનન રોકવા આ દિવસની ઉજવણી થાય છે. ભારતીય મહિલાઓને પણ 1947 ની આઝાદી મળ્યા બાદ પણ પોતાના હકો માટે લડવું પડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનાં એક સર્વે મુજબ દુનિયામાં દર ત્રણમાંથી એક મહિલા અને છોકરીઓ પોતાના જીવનકાળ દરમિયાન શારીરિક અથવા જાતિય હિંસાનો ભોગ બને છે. મહિલાઓ સામે થતી હિંસાને ઉજાગર કરવા માટે આ દિવાસ ઉજવવામાં આવે છે. ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી શા માટે આત્મહત્યા કરે છે? એમની પાછળનું કારણ પણ કંઈક ઘરેલુ હિંસા રહેલી છે. મહિલાઓની આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા કે અન્ય અણબનાવ પણ બનાવવાનું કારણ હોઈ શકે. દર વર્ષે આ દિવસે મહિલાઓ પ્રત્યેની તેમની વિચારસરણી બદલવા માટે અને મહિલાઓને તેમની અધિકારની માહિતી આપવા માટે અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી આ દિવાસ વિશ્વભરમાં ઉજવાય છે. મહિલાઓને શિક્ષિત કરીએ, મહિલાઓને સન્માનિત કરીએ અને મહિલાઓનું સન્માન જાળવીએ. મહિલાઓનાં સ્વમાનનું આદર થાય ત્યારે જ ખરા અર્થમાં મહિલા સશક્ત બનશે.
   આજે વિશ્વ મહિલા હિંસા વિરોધી દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે ત્યારે એટલું જ કહેવાનું કે કોઈ સંસ્થા એ વ્યક્તિની મદદની રાહ જોવા કરતા મહિલાએ પોતે જ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આજે શિક્ષિત મહિલાઓ પણ અન્યાય સહન કરતી જોવા મળે છે ઘરેલું હિંસાનો સામનો કરતી જોવા મળે છે.આ ઉકેલ ત્યારે જ આવશે જ્યારે મહિલા ખુદ જાગૃત થશે. આના માટે મહિલા પોલીસ કાયદાની અને પોતાના સ્નેહીજનોની મદદ જરૂર લઈ શકે. ઘણીવાર મહિલાઓ સમાજ અને આબરૂના ડરના કારણે અવાજ ઉઠાવતી નથી પરંતુ સહન કરવું એ જ ઉકેલ નથી જો તે એક ડગલુ આગળ વધશે તો મદદ માટે અનેક હાથ સામે આવશે.

Parichay Talks (ન્યૂઝ ઓફ ધ વિક) Dt :- 07-12-23 ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ઓબીસી એકતા મંચ રાજકોટ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
 

             ઓબીસી એકતા પરિષદ રાજકોટ દ્વારા ઓબીસી, એસી, એસટી અને લઘુમતી સમુદાયનાં કાર્યકર્તાઓના સ્નેહમિલન નો કાર્યક્રમ તારીખ બીજી ડિસેમ્બર શનિવારના રોજ સાંજે પાંચ કલાકે ગાર્ડન રેસ્ટોરન્ટ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો. ઓબીસી એકતા મંચ પરિષદનાં સંસ્થાપક શ્રી વેરશીભાઈ ગઢવી, માલધારી સમાજના અગ્રણી શ્રી કરણાભાઈ માલધારી , ઓબીસી એકતા મંચ પરિષદ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ બોડીયા, રાજકોટના ઓબીસી એકતા પરિષદ પ્રમુખશ્રી રવિભાઈ ચૌહાણ, મૂળ નિવાસી સમાજ અગ્રણી ઉત્તમભાઈ રાઠોડ, આરીફભાઇ ધોણીયા, મહિલા અગ્રણી ડૉ. વનિતાબેન રાઠોડ, ઓબીસી અગ્રણી યુનુસભાઇ સપા, નિવૃત સેશન જજ શ્રી કનુભાઈ રાઠોડ, અરવિંદભાઈ સરવૈયા ઓબીસી એકતા પરિષદ, ભરતભાઈ સુથાર , આહિર મહિલા અગ્રણી શ્રી નિરૂબેન આહીર વગેરે હાજર રહ્યા હતા. ઓબીસી એકતા પરિષદનાં આ સ્નેહમિલનમાં મુખ્ય વક્તા તરીકે  પ્રો. ડૉ. જે.ડી.ચંદ્રપાલ સાહેબે ઓબીસી એકતા પરિષદને મજબૂત બનાવવા તથા જાતિજન ગણનાની આવશ્યકતા વિશે ઉદબોધન કર્યું. આ ઉપરાંત આ સ્નેહમિલન નહીં પરંતુ ઓબીસી સમાજ જાગૃત બને તથા ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી સમુદાયને સમાજમાં મળતાં લાભો તથા ભારતીય સંવિધાનનું અમલીકરણ થાય તે માટે વિચાર વિમર્શની જરૂરિયાત અંગે સૌને જણાવ્યું. મહિલા આરક્ષણમાં પણ ઓબીસીની મહિલાઓનું જાતિ જન ગણના મુજબ આરક્ષણ મળે તેની અગત્યતા અને અનિવાર્યતા સૂચવી. ઓબીસી એકતા પરિષદ રાજકોટમાં તમામ ઓબીસી સમાજ, એસસી, એસટી અને લઘુમતી સમુદાયના લોકો જોડાઈ અને એક જૂથ બની ઓબીસી સમાજને મળતા લાભની રક્ષા થાય તે અનિવાર્ય છે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 07-12-23 - જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવી રામપરા પ્રા. શાળાના બાળકો ઝોન કક્ષાએ કૃતિ રજુ કરશે

જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવી શ્રી રામપરા પ્રા. શાળાના બાળકો ઝોન કક્ષાએ કૃતિ રજુ કરશે.
જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત જિલ્લા કક્ષાએ 6થી8 નવેમ્બર-2023ના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયેલ જેમાં ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિતિનભાઈ કૈલાના માર્ગદર્શન નીચે "સુપર ફૂડ્સ મિલેટ્સ" વિષય પર કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાળવિજ્ઞાનિકો કોશિયાણી સચિન અને ડેકાણી ભૂમિકાએ  સ્વાસ્થ્યમાં મિલેટ્સનું મહત્વ સમજાવી વિવિધ મિલેટ્સના નમૂના અને મિલેટ્સમાથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી-બોટાદ તથા માનનીય કલેકટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદ થતા શાળા પરિવારમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. આગામી દિવસોમાં આ કૃતિ બોટાદ જિલ્લાનું  પ્રતિનિધિત્વ કરશે.

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...