Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-08-23 ભાવનગરની કૃષ્ણપરા શાળા નં.૬૮ માં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો યોજાયો
ભાવનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવાનું હોય છે.
આ બાળમેળા અને લાઈફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગડીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો