Parichay Talks (સમાચાર) Dt :-22-08-23 ભાવનગરના સણોસરા ખાતે આવેલ લોકભારતી સણોસરામાં પ્રદર્શન યોજાયું.
મુકેશ પંડિત, - ઈશ્વરિયા
લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે યોજાયેલ વિશિષ્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજાણું પ્રણાલી સાથેના વિવિધ પાસાઓની સમજ આપવામાં આવી. 'ઈ લર્નિંગ એકઝીબિશન ૨૦૨૩' પ્રસંગે ઉદ્ઘાટન શિક્ષણવિદ્દ મહેન્દ્રભાઈ ચોટલિયાના હસ્તે થયું. સંસ્થાના વડા વિશાલ ભાદાણીના નેતૃત્વ સાથે અહી દીપભાઈ વનરા, દીપ્તિબેન વાઘેલા, મોહિતભાઈ ભાલ અને ધ્રુવભાઈ વાઘેલા આયોજનમાં રહ્યા. સંચાલનમાં કુમારી વૈભવી મીર રહેલ. પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓ સાથે રસિકોને મળ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો