Parichay Talks (સમાચાર) Dt :-31-08-23 સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Parichay Talks (સમાચાર) Dt :-31-08-23   સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

         સ્વદેશી જાગરણ મંચ ટીમ સ્વદેશી વસ્તુઓનાં પ્રચાર પ્રસાર કરતી સંસ્થા દેશભરમાં રાષ્ટ્રવાદ માટે કાર્ય કરે છે. સ્વદેશી જાગરણ મંચ રાજકોટ ટીમ પણ સ્વદેશી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં વિવિધ પ્રકારના પ્રકલ્પો હાથ ધરે છે. સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નાના મવા મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે  તારીખ  27/08/2023 રવિવારે સવારે 8:30 કલાક સ્વદેશી જાગરણ મંચ રાજકોટનાં સભ્યો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. 
        વૃક્ષારોપણનાં  કાર્યક્રમ બધા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. ભાર્ગવીબેન ભટ્ટ, સૌરાષ્ટ્ર પ્રાંત મહીલા પ્રમુખ, વનિતાબેન રાઠોડ સૌરાષ્ટ્ર પ્રાંત મહિલા સહ પ્રમુખ, બિંદુબેન ભટ્ટ, રક્ષાબેન ધામી, નયનાબેન પેઢડીયા, વિનોદભાઈ પેઢડીયા, મલયભાઈ રૂપાપરા, તપનભાઈ લાડાણી, યશભાઈ જસાણી, હાર્દિકભાઈ સીણોજીયા, યોગેશભાઈ ભટ્ટ, રાજુભાઈ કક્કડ સૌ઼એ  હાજરી આપી હતી.  મોકાજી સર્કલ નાના મવા વિસ્તારમાં ઉમરા, પીપળા, કરંજ, બોરસલી, સવન જેવાં વૃક્ષો વાવવામાં આવ્યા. વૃક્ષો વાવવાથી થતાં ફાયદાઓ તથા વૃક્ષોનાં મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...