Parichay Talks (સમાચાર) Dt :-30-08-23 ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાશે 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા

 Parichay Talks (સમાચાર) Dt :-30-08-23   ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાશે 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા

(મૂકેશ પંડિત) ઈશ્વરિયા

         ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કેળવણીકાર મનસુખ સલ્લા વ્યાખ્યાન આપશે. આ કાર્યક્રમમાં અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે.

       ગોહિલવાડના ગૌરવરૂપ  લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી મંગળવાર તા.૨૯ સવારે 'દર્શક' સ્મારકમાળામાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્ય, દર્શક સાહિત્યનાં પ્રમાણભૂત વક્તા અને કેળવણીકાર મનસુખ સલ્લા 'દર્શકનું કેળવણી દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના  પ્રણેતા, કેળવણીકાર અને સાહિત્યકાર સર્જક, ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ વિશમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે.

         સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે
રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના  પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં અતુલભાઈ પંડ્યા (પર્યાવરણ અને ગાંધી વિચાર - પ્રચાર), બિંદુબેન અને પાર્થેશભાઈ પંડ્યા ( શિક્ષણ અને ગ્રામવિકાસ) તથા રવજીભાઈ ગાબાણી (સરકારી વહીવટ) સમાવિષ્ટ છે. આયોજનમાં લોકભારતી પરિવાર જોડાયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...