Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 20-03-23 "રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર" લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ

કોલમનું નામ :- “ થોડાંમાં ઘણું “

 "રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર" 

લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે,  " રાત્રે વહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર, બલ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર."

       આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા સંતો અને યોગીઓ આ વાતમાં માનતા હતા. તેથી જ તેઓ વહેલી સવાર માં જાગી યોગ અને સાધના કરતા હતા.  તેના દ્વારા ઘણી સિદ્ધિઓ તેઓએ હાંસલ કરેલી હતી. હાલમાં જ ઇન્ટરનેશનલ બુક શેલર એવી પુસ્તક ધ ફાઈવ એએમ ક્લબ વાંચવામાં આવી. વિશ્વની નંબર વન બેસ્ટ બુક સેલર બુક " ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી" ના લેખક રોબીન શર્મા દ્વારા આ પુસ્તક લખાયેલું છે.
         આ પુસ્તકમાં પણ પરોઢ નો ઉપયોગ કરી જીવનમાં પરિવર્તન લાવવાની વાત કહેવામાં આવી છે. આ પુસ્તકમાં લોકોના જીવનને બદલવાની તકનીક છે. દરેક જનરેશનના એટલે કે દરેક ઉંમરના વ્યક્તિઓને ઉપયોગ થઈ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. વાંચનારના જિંદગીને સંપૂર્ણ પણે બદલી નાખનાર આ પુસ્તક છે. 285 પેજીસની આ પુસ્તકમાં પાના પાના પર અદભુત બાબતો લખાયેલી છે. વ્યક્તિ પોતાની બધી જ ઇન્ટિમસીમાં ગ્લોરી પ્રાપ્ત કરી શકે. પોતાના અંગત સંબંધો પોતાની ઈચ્છાઓ, મહત્વકાંક્ષાઓને ઉચ્ચતમ રીતે સફળ બનાવી શકે.
          વાંચનાર પોતાની જિંદગીને ભવ્ય બનાવી શકે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય મેળવી શકે અને મહત્તમ માનવતાવાદી જીવન જીવી શકે એવી બાબતો આ પુસ્તકમાં લખવામાં આવી છે. લેખકની ચાર વર્ષની મહેનત બાદ આ પુસ્તક લખાયેલું છે. જેમાં જીવનને બદલી નાખવાની ક્ષમતાને જાણવા અને સમજવા માટે મદદ મળે. વહેલા ઊઠવાની આદત જીવનમાં સર્વોત્તમ પરિણામ લઈ આવે અને ખુશી સાથે જીવનનો ભરપૂર આનંદ માણી શકાય એ વાત આમાં લખાયેલી છે. લીડરશીપ અને પર્ફોર્મન્સના નિષ્ણાત  રોબીન શર્માએ ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા "ધ ફાઈવ એએમ ક્લબ" નો વિચાર રજૂ કર્યો હતો. તેનો આધાર લઈને સવારનું ક્રાંતિકારી રૂટીન બનાવી તેમના ઘણા ક્લાઈન્ટસ પોતાની ઉત્પાદકતા વધારવા, સ્વાસ્થ્ય સુધારવા અને મનની શાંતિને જીવનમાં સુનિશ્ચિત કરવામાં સફળ બન્યા છે.
          આ પુસ્તકમાં જીવનમાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા વ્યક્તિઓના જીવનમાં એક ઉદ્યોગપતિ સંપર્કમાં આવે છે અને એમનો માર્ગદર્શક બને છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સમજદાર વ્યક્તિઓની અસાધારણ સિધ્ધિઓ મેળવવા માટે તેઓ લોકોએ પોતાના સવારના સમયનો પ્રારંભ કેવી રીતે કરે. વહેલા ઊઠવાની આદતથી પોતાના જીવનના વિઝનને ફોકસ કરીને મહત્તમ પરિણામ શી રીતે મેળવી શકાય ? વહેલી સવારના નીરવ શાંતિનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી અને તેમાં કસરત, આત્મજ્ઞાન, તેમજ વ્યક્તિગત વિકાસને માટે સમય જીવનમાં કઈ રીતે ફાળવવો એ જાણી શકાય.
         મોટાભાગના લોકો જ્યારે સૂતા હોય ત્યારે મનોબળ આધારિત પ્રેક્ટિસ કઈ રીતે કરવી? આપણા વિચારોને રચનાત્મક રીતે કઈ રીતે વ્યક્ત કરવા અને આપણા દિવસની શરૂઆત શાંતિપૂર્વક રીતે કઈ રીતે શરૂ કરવી તે બાબતની માહિતી પુસ્તકમાં આપેલી છે. આપણી ક્ષમતા, કુશળતા અને સપનાઓને આગળ વધારવા માટે ડિજિટલ દુનિયામાં ખૂપી રહેવાને બદલે અને અન્ય સામાન્ય બાબતોમાં માથું મારવાને બદલે અંતઃસ્ફુરણા ઉપર ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું કે જેથી સમૃદ્ધિ અને પ્રભાવનો આનંદ માણી શકાય.
          દુનિયા ઉપર આપણી અસર કઈ રીતે ઊભી કરી શકાય ? એ વાત આ પુસ્તકમાં લખવામાં આવી છે. આમ તો પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે. જેમ શારીરિક કસરત કરીએ અને શરીરને ફાયદો થાય. તેમ જ મગજની કસરત માટે પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. પુસ્તક વાંચવા એ એક પ્રકારનું ધ્યાન છે. પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય અને એકાગ્રતા વધે છે. સફળ લોકોના જીવનમાં એક લાઇબ્રેરી હોય છે. સફળ લોકો ખૂબ સારું વાંચન કરતા હોય છે. કહેવાય છે કે દુનિયામાં માણસને ખરેખર શું જોઈએ છે? અને એ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ? માણસ પોતાની મહત્વકાંક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકે? એ તમામ વસ્તુઓ આ દુનિયાના પુસ્તકોમાં લખાઈ ગયેલ છે. જેમ પથ્થરને સોનુ બનાવનાર પારસમણી આપણે શોધવી રહી. તેમ આપણા જીવનમાં પારસમણી સમાન પુસ્તકો આપણે જ શોધવા રહ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...