Parichay Talks :- (Freend Book) Dt :- 21-03-23 કવિતા રચાઈ .... કવયિત્રી : - - જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

 કવિતા રચાઈ .... કવયિત્રી : - - જુલી સોલંકી ' સચેત '  ભુજ-કચ્છ


મન મહી આજ વિચારો શબ્દરૂપે એ લખાઈ ગઈ;

ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.

કવિની સંવેદના અંતર મહી સ્પર્શીને એ સમાઈ ગઈ.

ત્યારે પ્રકૃત્તિની સોળે કળાએ આજ એ ખીલી ગઈ. 

કવિતા મહી આજ મધૂર સંગીતના સૂરે એ રચાઈ ગઈ;

ત્યારે સૂરના એ જ તાલ કવિની રચના એ  પૂરવતી ગઈ.

અનેક પીડાઓ સંગ, કવિની કલમ પસાર થઈ ગઈ;

ત્યારે અંતરે સુખ અનુભવતાં આનંદ એ માણી ગઈ. 

કવિની કલમએ આજ જીંદગીના પાઠ શીખવી ગઈ;

ત્યારે જીવન મહી શાંતિની સુગંધ એ ફેલાવી ગઈ. 

મન મહી આજ વિચારો શબ્દ રૂપે એ લખાઈ ગઈ;

ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...