Parichay Talks (સમાચાર) Dt :-25-08-23 ભાવનગરના જાળીયાના શિવકુંજ આશ્રમમાં દીપ પ્રાગટ્ય કરી યજ્ઞ પ્રારંભ કરાયો.
મુકેશ પંડિત, - જાળિયા
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ પ્રારંભે દીપ પ્રાગટ્યમાં હરદેવગિરિબાપુ, કૈલાસગિરિબાપુ, મનજીબાપા (બગદાણા) તથા હબીબભાઈ હાલાણી (નાની બોરું) જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ કલ્યાણ અર્થે શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક તથા ભૈરવ યાગ રાખવામાં આવેલ છે. અનંતભાઈ ઠાકર અને ભૂદેવો યજ્ઞ વિધિમાં જોડાયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો