ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વિદાય શુભકામના
ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વિદાય શુભકામના
રિપોર્ટ - ઈશ્વરિયા ગુરુવાર (મૂકેશ પંડિત)
ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમ યોજાઈ ગયો. આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે કેળવણી મંડળના પ્રમુખ વીરશંગભાઈ સોલંકી તથા મંત્રી મૂકેશકુમાર પંડિતની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિદાયમાન અપાયું. વર્ગ શિક્ષક કિર્તીભાઈ ચૌહાણ, દિપ્તીબેન વાઘેલા અને ધૃતિબેન ચૌહાણ દ્વારા શુભકામના પાઠવાઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો