ઉર્મીઓની શ્રુખલા... કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા
ઉર્મીઓની શ્રુખલા.
કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા
તન મન લાગણીએ રંગાઇ જાય છે,
ત્યારે કાવ્ય લખાય છે,
કહેવાય છે કે આંસુઓને
પણ શાબ્દિકભાષા હોય છે,
હૈયે શુળ ભોકાય છે,
શુ દર્દની તે કોઈ પરિભાષા હોઈ શકે,
શું દર્દીલી પણ શબ્દ રમત હોઈ શકે!
કોઈ શેર શાયરી નામ આપે તો કોઈ ઉર્મીઓ કહે,
દિલના ટુકડા થાય ને આંખોથી આંસુઓનો દરિયો રેલાઈ જાય,
લાગણીના રંગે રંગાઈ જાતુ હૈયું વલોપાત કરે ત્યારે તો કાવ્ય લખાય છે.
હૈયાની વેદના કોણ જાણે...
સપનાંઓ મૃગજળ બની રહી જાય છે,
કોઈ પોતાનું તમને છળી જાય છે,
તે દર્દની હારમાળાને કોઈ કાવ્ય તો કોઈ શેર કહી જાય છે,
પ્રેમમાં ખતા ખાધેલો માણસ કવિ કહેવાય તો કોઈવાર દેવદાસ બની જાય છે,
દિલ તુટતા ક્યાં અવાજ આવે છે,
લાગણીઓને ક્યાં કોઈ લાજ હોય છે,
કરે કોઈ પામે કોઈ આ દસ્તુર એ,
આલમ દિલની આહટ જ્યારે હદ વટાવે છે ત્યારે કાવ્ય શેર રચાય છે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો