જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ.
જમ્મુ-કાશ્મીરમાં એક દર્દનાક ઘટના બની છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના ત્રણ જવાનોનું વાહન લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. ત્રણેય જવાન ખાડામાં પડી ગયા અને શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણેય જવાનો ડોગરા રેજિમેન્ટની 14મી બટાલિયનના હતા. તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, આગળના વિસ્તારમાં નિયમિત ઓપરેશનલ કાર્ય દરમિયાન 01 JCO અને 02 OR ની એક પાર્ટી ઊંડી ખીણમાં લપસી ગઈ હતી. ટ્રેક પર પડેલા બરફ પર લપસીને વાહન ખાડામાં ખાબક્યું હતું. ત્રણેય બહાદુરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો