Parichay Talks (Education News) Dt :- 11-03-23 ભાવનગરમાં પી.એમ. યંગ એચીવર્સ સ્કોલરશીપ પરીક્ષામાં કુલ 870 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

ભાવનગરમાં પી.એમ. યંગ એચીવર્સ સ્કોલરશીપ

પરીક્ષામાં કુલ 870 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

        આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અન્ય પછાત વર્ગ (OBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પીએમ યંગ એચીવર્સ સ્કોલરશીપ ફોર વાઈબ્રન્ટ ઈન્ડિયા -PM YASASVI- એવોર્ડ સ્કીમ વર્ષ 2022-23થી કાર્યરત છે. આ યોજના હેઠળ OBC,EBC, અને DNTના વિદ્યાર્થીઓને ટોપ ક્લાસ સ્કૂલ એજ્યુકેશન માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. સ્કોલરશિપ માટેની આ પરીક્ષામાં ગુજરાતના વિવિધ જિલ્લાની પસંદગી પામેલ શાળાઓમાં અભ્યાસ કરતા નિયત જાતિના ધોરણ 9 ના કુલ 339 વિદ્યાર્થીઓ અને ધો.11ના કુલ 531 વિદ્યાર્થીઓ મળીને કુલ 870 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.

         પાસ થયેલાની યાદી NTAના પોર્ટલ પર https://yet.nta.ac.in વેબસાઈટ પર મુકવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આ યોજના અંતર્ગત સ્કોલરશિપ મેળવવા માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર https://scholarships.gov.in/ વેબસાઇટ પર તા. 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે.શાળાઓ માંથી વિદ્યાર્થીઓની પસંદગી માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા ગત તા.25 સપ્ટેમ્બરે વિવિધ 78 શહેરોમાં પરીક્ષા યોજાઈ હતી. આ પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની યાદી https://yet.nta.ac.in વેબસાઈટ પર મુકાઈ છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...